01/07/2020
સૌ ચાલો સુરત જઈએ....
છોડો માયાવી મુંબઈની મોહ જાળ.
આ રહ્યા કેટલાક કારણો:
#ટૂંક સમયમાં સાકાર થનાર વૈશ્વિક કક્ષાનુ *સુરત ડાયમંડ બુર્સ* . મુંબઈ કરતાં ઘણા ઓછા મેન્ટેનન્સ અને કિંમતમાં મોકળાશ વાળી ઓફિસો. ઉપરાંત અન્ય ધંધા માટે મુંબઈની સરખામણીએ *મફતના ભાવમાં દુકાનો.*
#સુરત ઇન્ટરનેશનલ *એરપોર્ટનો* વધતો વ્યાપ.
#સુરતમાં ટૂંક સમયમાં બનનાર સુરત *મેટ્રો* ટ્રેન. આ ઉપરાંત એસી સિટીબસ અને બીઆરટીએસ ની સુંદર સુવિધા. *બુલેટ* ટ્રેન સ્ટોપેજ.
#મુંબઈ કરતા ઘણા *ઓછા ખર્ચામાં જીવનનિર્વાહ* અને બેહતર લાઈફ સ્ટાઈલ.
#મુંબઈ કરતા અડધાથી ઓછા ભાવોમાં મુંબઈ થી વધુ *સારા બાંધકામ અને એમીનીટી વાળા બિલ્ડિંગો* અને મકાનો.ગેસ વીજળી અને પાણીની કોઇ સમસ્યા નહીં.
#અત્યંત પહોળા રસ્તા,નવા પ્લાનિંગ વાળા એરિયા અને સંપૂર્ણ *સ્વચ્છ* શહેર.
#વિશ્વના સૌથી વધુ *રહેવા લાયક* ૧૦ શહેરો પૈકી.
#ટ્રાફિકની કોઈ પરેશાની નહીં. ઘણા ઓછા પોલ્યુશન માં *શાંતિનો શ્વાસ.* શુદ્ધ હવા.
#મુંબઈ કરતા ઘણી *ઓછી ફી* માં બાળકોનુ સારી સ્કૂલોમાં ભણતર.
#મંદિર અને દેરાસરોની ભરમાર. આવનારી પેઢી *ધાર્મિક અને સંસ્કારી* બનાવવા માટે ના બધા પરિબળો.
#સનાતન હિંદુ ધર્મ પ્રેમી અને *સ્થિર સરકાર* .સાધુ સંતોનો પૂરો આદર અને સત્સંગ. ધાર્મિક તહેવારોની મનથી ઉજવણી.
#પરપ્રાંતીઓ દ્વારા કોઇ કનડગત નહીં.
તો ચાલો દરિયાની *ખારાશ* છોડીએ અને નદી ની *મીઠાશ* માણીએ.